મોડાસા:ભેરૂન્ડા નજીક પીવાના પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીના જથ્થાનો વ્યય થતા લોકોમાં રોષની લાગણી
ધનસુરા: તાલુકાના કોલવડા ગામના સમસ્ત ગ્રામજનોએ પાણી વગરના તંત્ર દ્વારા સર્જાતી હાલાકીને લઈ તંત્રને પાણી બતાવી અગાઉ યોજાયેલી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.ત્યારે આ પંથકના ગ્રામજનોને પીવાનું પાણી ઘેર બેઠા નમર્દાના નીર પહોંચાડવાની યોજના જ વારંવાર લીકેજ થઈ જતાં પીવાનું પાણી મેળવવાની રહી સહી યોજના ઉપર જ પાણી ફરી વળ્યું છે. એસ.કે.ટુ યોજના હેઠળ ભેરૂન્ડા, બોરડી, કઉ અને કોલવડા પંથકમાં પીવાનું પાણી પુરૂ પાડવા અંદાજે ૩ વર્ષ અગાઉ પાઈપ લાઈન નંખાઈ હતી. ભેરૂન્ડા પાસે વારંવાર પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાય છે. અને લીકેજ થતાં પાણીનો વ્યય થાય છે.
એક માસમાં પાંચથી વધુ વાર આ પાઈપ લાઈનમાં લીકેજ થતાં લોકોને પીવાનું પાણી મળતું નથી. હાલ ઉનાળાની ગરમીમાં પાણી માટે લોકો વલખા મારી રહયા છે.ત્યારે ભેરૂન્ડા અને હમીરપુર ગામ પાસે નંખાયેલ આ પાઈપ લાઈનમાં વારંવાર ભંગાણ સર્જાય છે. જેથી આ પંથકના ગ્રામજનો પીવાનું પાણી મેળવી શકયા નથી.
આમ પીવાના પાણીની યોજનામાં વપરાયેલ હલકી ગુણવત્તાવાળા પાઈપ લાઈનના કારણે વારંવાર ભંગાણ સર્જાતા છે. કરોડો રૂપિયા ખર્ચી ઘડી કાઢેલા નર્મદાના નીર ઘર આંગણે પહોંચાડવાની યોજનાનો ફિયાસ્કો થયો હતો.