ગુજરાત
News of Wednesday, 14th April 2021

સાસુની સારવાર માટે નાગપુર જવું વડોદરાના યુવકને ભારે પડ્યું:બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 1.96 લાખની મતા ચોરી છૂમંતર.....

વડોદરા: સાસુની કેન્સરની સારવાર માટે નાગપુર ગયેલા પરિવારના ગોત્રી વિસ્તારમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી તિજોરીના લોકરમાંથી સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રૂપિયા મળી 1.96 લાખ ઉપરાંતની મત્તા ચોરી નાસી છૂટયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

મૂળ અમદાવાદના રહેવાસી અને હાલમાં વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર આવેલી જનક નગર સોસાયટીમાં ભાડેથી રહેતા મનીષભાઈ માલવી ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે

પહેલી એપ્રિલના રોજ તેમના સાસુ ને બ્રેસ્ટ કેન્સરની બીમારી હોય સારવાર માટે તેઓ મકાનને તાળું મારી નાગપુર ગયા હતા. જ્યાંથી 13 એપ્રિલના રોજ  તેમના મકાનનું તાળુ તોડી અજાણ્યા તસ્કરે ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું જેથી પરિવાર વડોદરા દોડી આવ્યો હતો. મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશેલો અજાણ્યો તસ્કર સર સામાન વેરવિખેર કરી તિજોરીનુ તાળુ તોડી સોના-ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા ચોરી કરી નાસી છુટયો હોવાનું બહાર આવ્યું હતું.

(6:31 pm IST)