મહામંડલેશ્વર ૧૦૦૮ વિશ્વંભર ભારતીબાપુને SGVPગુરુકુલ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ ગુજરાત તથા સમસ્ત ભારતના સાધુસમાજના અગ્રણી અને સાધુગુણે સંપન્ન મહામંડલેશ્વર ૧૦૦૮ વિશ્વંભર ભારતીબાપુની અચાનક વિદાયથી સમસ્ત સાધુ સમાજ તથા ભક્તસમુદાય સ્તબ્ધ અને શોકમગ્ન છે.
પૂજ્ય ભારતીબાપુ સાધુ સમાજનું છત્ર હતા, સાધુસંતોનો આધાર અને હુંફ હતા તથા સમાજને ધમની સાચી પ્રેરણા આપનારા હતા.પૂજ્ય બાપુએ પોતાના જીવન દ્વારા સમાજ માટે એક આદર્શ સાધુનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બાપુનું સમસ્ત જીવન પ્રેરણાદાયી હતું. પૂજ્ય બાપુને વર્ષોથી SGVP ગુરુકુલ અને ગુરુકુલના કાર્યા સાથે ખૂબ લગાવ હતો. થોડા દિવસ પહેલા જ એમના જન્મદિવસ પ્રસંગે બાપુએ સ્વામી માધવપ્રિયદાસજી તથા સ્વામીબાલકૃષ્ણદાસજીને યાદ કરી ગુરુકુલના ખબરઅંતર પૂછયા હતા.
ભારતવષેંના ત્છધષિતુલ્ય એક મહાન સંતની અણધારી વિદાયની ખોટને ક્યારેય પૂરી નહી કરી શકાય.શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP), અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, સંતમંડળ તથા સમસ્ત ગુરુકુલ પરિવાર મહામંડલેશ્વર ૧૦૦૮ વિશ્વભર ભારતીબાપુના પુણ્યાત્માને પુષ્પાર્જલિ અપણ કરે છે. ઉપરાંત તેમના શિષ્ય પૂજ્ય હરિહરાનંદજી મહારાજ, ત્ધષિભારતીજી તથા સમસ્ત શિષ્ય મંડળને ભગવાન આશ્વાસન આપે તેવી પ્રાથના કરે છે.