ગુજરાત
News of Tuesday, 13th April 2021

ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા કોરોના મુક્ત: યુએન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા

હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રદિપસિંહ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને રહેશે

અમદાવાદ : ગુજરાતના વિધાનસભા સત્ર દરમિયાન અનેક મંત્રીઓ કોરોના સંક્રમિત થયા હતા મંત્રીઓ ઉપરાંત તેમના સ્ટાફ પણ કોરોના સંક્રમિત બન્યો હતો. આ ઉપરાંત વિધાનસભાના કર્મીઓ સહિત સચિવાલયના કર્મીઓ પણ સંક્રમિત થયા હતા. તેવામાં 3 એપ્રિલના રોજ પ્રદિપસિંહ જાડેજાએ ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટિવ થયા હોવાની જાણ કરી હતી.

13 એપ્રિલે કોરોના માત આપી દીધી છે. તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે બાદ UN મહેતા હોસ્પિટલ દ્વારા તેઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પ્રદિપસિંહ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને રહેશે.

(12:56 am IST)