વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર માટે સુસજ્જ
૧૭મી અને ૧૮મીના દિવસે વતન રાજ્યમાં સભા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન પહેલા વધુ સભાઓ કરે તેવી પણ શક્યતા
અમદાવાદ, તા. ૧૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહમાં પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરનાર છે. મોદીએ ૧૭મી એપ્રિલના દિવસે ત્રણ ચૂંટણી સભાને સંબોધન કરશે. તેમની પ્રથમ સભા હિંમતનગર સાબરકાંઠામાં, બીજી સભા સુરેન્દ્રનગર અને ત્રીજી સભા આણંદમાં થશે. ૧૮મી એપ્રિલના દિવસે મોદી અમરેલીમાં ચૂંટણી સભા સંબોધશે. મોદી હિંમતનગરની સભા બપોરે ૨.૩૦ વાગે, સુરેન્દ્રનગરમાં ૪ વાગે અને આણંદમાં સાત વાગે સભા કરશે. ૧૦મી એપ્રિલના દિવસે મોદીએ જૂનાગઢ અને સોનગઢમાં સભા કરી હતી. મોદી ખુબ જ ટક્કરવાળા સંસદીય વિસ્તારમાં સભા કરવા જઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને કોંગ્રેસની સરખામણીમાં અહીં ઓછી સીટો મળી હતી. મોદીના ૨૧મી એપ્રિલના દિવસે ચૂંટણી પ્રચારની સમાપ્તિ સુધી એક અથવા બે વધુ ચૂંટણી સભા પણ આયોજિત કરવામાં આવી શકે છે. હાલમાં મોદીની ગુજરાતમાં છ સભાઓ નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં તમામ ૨૬ સીટો પર એક જ તબક્કામાં ૨૩મીએપ્રિલના દિવસે મતદાન કરાશે.