News of Saturday, 14th April 2018
અલ્પેશ ઠાકોરના રાધનપુરમાં પીવાના પાણીનો પોકાર :ચૂંટણી સમયે ખોટા વાયદા અપાતા હોવાની ચર્ચા
કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના રાઘનપુર વિસ્તારમાં પાવીના પાણીનો પોકાર શરૂ થયો છે. અલ્પેશ ઠાકોરે ઘારાસભ્ય બન્યા તે પહેલા આ વિસ્તારને પાણીની સમસ્યા કયારેય નહીં રહે તેવુ અનેક ભાષણોમા કહયું હતું. પરંતુ જીત્યા પછી પણ આ વિસ્તારમા પાણીની સમસ્યાનો હલ થયો નથી.
રાધનપુરના રામનગર સોસાયટી, સોનલ નગર સોસાયટી કે અન્ય સોસાયટીઓમાં આજે પણ પીવાનુ પાણી આવતુ નથી. નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ ખોટા વાયદા આપાતા હોવાની ચચૉઓ થઈ રહી છે. ત્યારે કેવા નેતા ઊપર વિશ્વાસ કરીએ તો કાયમી પાણી સમસ્યા હલ થાય તેવા અનેક સવાલો ઊભા થઈ રહયા છે. ત્યારે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિઘા મળી રહે તેવી લોક માંગ ઊઠી છે.
(10:13 pm IST)