અમદાવાદના નારોલમાં બે બાઈક વચ્ચે અકસ્માતમાં વૃદ્ધ દંપતી ખંડિત
નારોલના ઉમઁગ ફ્લેટમાં રહેતા 62 વર્ષીય ભરતભાઈ ઠાકોરનું મોત :તેમના પત્ની મુન્નીબેન ગંભીર
અમદાવાદના નારોલ વિસ્તારમાં બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાતા વૃદ્ધ દંપતી ખંડિત થયું છે આ વૃદ્ધ દંપત્તિ બાઈક પર રાત્રે ઘરે જઈ રહ્યા હતા ત્યારે નારોલના રંગોલીનગર પાસે અકસ્માત સર્જાયો હતો મળતી વિગત મુજબ નારોલના ઉમંગ ફ્લેટમાં રહેતા ૬૨ વર્ષીય ભરતભાઈ ઠાકોર કલર કામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા.તેઓ ગઈ રાત્રે પોતાની પત્ની મુન્નીબેન સાથે બાઈક પર બહાર ગયા હતા રાત્રે તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે નારોલના રંગોલીનગર પાસે એક બાઈક ચાલકે ભરતભાઈની બાઈકને ટક્કર મારી હતી.
બન્ને બાઈક એકબીજા સાથે અથડાતા ભરતભાઈ અને મુન્નીબેન જમીન પર પટકાયા હતા. જેથી ૧૦૮ની મદદથી બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તબીબોએ ભરતભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે મુન્નીબેનની ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે, બીજીબાજુ અન્ય બાઈક ચાલકને પણ ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ભરતભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.