News of Wednesday, 14th March 2018
વડોદરાના ઉંડેરામાં સિવિલ કોન્ટ્રાક્ટરને ત્યાં આઇટીએ સર્વેની કામગીરી હાથધરી
વડોદરા:નજીક ઊંડેરા ખાતે સિવિલ કોન્ટ્રાક્ટર મીનેષ પટેલને ત્યાં આવક વેરા વિભાગના અધિકારીઓએ સર્વેની કામગીરી શરૃ કરી હતી. દરમિયાન વડોદરા આવકવેરા વિભાગે આણંદ, ભરૃચ, ગોધરા અને જંબુસરમાં ગઇકાલે ચાર સ્થળે સર્વે હાથ ધર્યો હતો. અને સર્વેનું કામ આજે પણ ચાલુ રાખ્યું હતું.
નોટબંધી બાદ બેન્કોમાં રૂ.૨૦ લાખથી વધુ રકમની કેશ જમા કરાવનાર કરદાતાઓએ હિસાબમાં અને રિટર્નમાં નહીં દર્શાવતા ઓપરેશન કલિન મની હેઠળ શરૃ કરવામાં આવેલા સર્વેમાં આજકાલ વિવિધ ધંધાર્થીઓ અને વેપારીઓને સાણસામાં લેવાઇ રહ્યા છે જેમાં આણંદમાં ઓફિસ અને વાસદમાં દાળ મિલ ધરાવતા વેપારી, ભરૃચ- અંક્લેશ્વરમાં ફાર્મા કંપની, ગોધરામાં ગેસ એજન્સી અને જંબુસરમાં ડોક્ટરને ત્યાં સર્વે હાથ ધરાયો હતો.
(7:06 pm IST)