ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ
વિરમગામ પંથકની શાળાઓમાં પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ :ભારત માતા પૂજન કરાયું
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ડૉ. જીગરભાઈ ઇનામદાર, ઝોન સંયોજક હરીશભાઈ મચ્છર અને જિલ્લા સંયોજક હિરેનભાઈ મંકોડીયાના માર્ગદર્શન મુજબ પુલવામાં આતંકવાદી હુમલામાં થયેલ શહિદોને શ્રધાંજલિનો કાર્યક્રમ કાલીયાણા ગામમાં કરવામાં આવ્યો હતો. જેમાં લક્ષ્મણભાઈ મોરી, અતુલભાઈ પરમાર અને શિક્ષક અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પુલવામાં આતંકવાદી હુમલામાં થયેલ શહિદોને શ્રધાંજલિનો કાર્યક્રમ વિરમગામ શહેરના નવયુગ સ્કૂલમમાં કરવામાં આવ્યો હતો. અતુલભાઈ પરમાર, સ્કૂલના આચાર્ય સુનિલભાઈ પટેલ , સંજયભાઈ હાલાણી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નળકાંઠા વિસ્તારમાં આવેલ રૂપાવટી ગામમાં પુલવામા આતંકવાદી હુમલામાં થયેલ શહિદોને શ્રધાંજલિનો કાર્યક્રમ ગોઠવાયો હતો
આ કાર્યક્રમમાં આચાર્ય ફતાભાઈ, સહ શિક્ષક પરેશભાઈ, અશોકભાઈ, મેહુલ ભાઈ,શૈલેશભાઈ હાજર રહ્યા હતા. વિરમગામ શહેર અને તાલુકામાં કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રસિદ્ધ રસીકભાઈ રાવળ, કિરણભાઇ સોલંકી, રસીકભાઈ કો પટેલ, નિલેશભાઇ રાણાએ જહેમત ઉઠાવી હતી. પુલવામાંમા આપણાં સેના ના જવાનો પર થયેલ હુમલા ની પ્રથમ વરસી નિમિત્તે દેત્રોજ તાલુકા સંયોજક દ્વારા પનાર સરકારી હાઈસ્કૂલમાં ભારતમાતા પૂજન કાર્યક્રમ કરવા માં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.