ગુજરાત
News of Friday, 14th February 2020

વડોદરાના છાણી નજીક મહીસાગર બ્રિજ પરથી યુવકે મોતની છલાંગ લગાવી:બીજે દિવસે શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ હાથ ધરી

વડોદરા: શહેરના છાણી નજીક મહીસાગરના બ્રિજ પરથી ગઇ સાંજે કૂદી પડેલા એક યુવકનો આજે બીજે દિવસે મૃતદેહ મળી આવ્યો છે.પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યાનુસાર, છાણીના બ્રિજ પરથી એક યુવક ગઇસાંજે મહીસાગરમાં કૂદી પડયો હોવાની જાણ તેના નિકટના સબંધીએ કરતાં દરજીપુરાના સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પુવાર અને સ્ટાફે આજે શોધખોળ કરી હતી.

ચારેક કલાકની તપાસ બાદ યુવકની લાશ મળી આવી હતી.પ્રાથમિક તબક્કે તેનું નામ અજય પરમાર હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રો પાસે જાણવા મળ્યું છે.મરનાર યુવક બિમાર હોવાની અને ગઇકાલે સવારે નીકળી ગયો હોવાની વિગતો જાણવા મળી છે.કોઇએ તેને મહીસાગર બ્રિજ પાસે જોતાં તેના કુટુંબીજનોને શંકા ગઇ હતી અને ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.

(5:07 pm IST)