News of Friday, 14th February 2020
અમદાવાદના સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા પુલાવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
બે મિનિટ મૌન પાળીને પ્રાર્થના કરી : ભુયંગદેવ ચાર રસ્તાથી રેલી કાઢી શાહિદ અમર રહો ના નારા લગાવ્યા
અમદાવાદ : અમદાવાદની સાધના વિનય મંદિર ( ભુયંગદેવ ચાર રસ્તા સોલા રોડ ) ના વિદ્યાર્થીઓ દ્વારા પુલવામાં શહીદ થયેલ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા બે મિનિટ મૌન પાળીને પ્રાર્થના કરી હતી ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભુયંગદેવ ચાર રસ્તાથી એ,ઈ,સી,ચાર રસ્તાથી પરત રેલી કાઢી હતી,પુલવામાં હુમલામાં શહીદોના ફોટા અને ત્રિરંગા સહીત શહીદો,અમર રહો ,વંદેમાતરમ,ભારત માતા કી જય ,જેવા સૂત્રો બોલાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી
(2:47 pm IST)