અમદાવાદમા હવે બીયુ પરમીશન લેવા માટે પાર્કિંગ અંગેનો બાંહેધરી પત્ર આપવો પડશે
આખે આખા બિલ્ડીંગની બીયુ પરમીશન રદ થઇ શકશે : પેનલ્ટી પણ લાગશે
અમદાવાદમા હવે બીયુ પરમીશન લેવા માટે બાંહેધરી પત્ર આપવો પડશે.આ બાહંધરી પત્રમા બિલ્ડીંગમા દર્શાવેલી પાર્કીંગની જગ્યાનો ફક્ત પાર્કીંગ તરીકે ઉપયોગ થશે. જો મંજૂર કરેલી જગ્યાનો અન્ય ઉપયોગ કરવામાં આવશે તો આખે આખા બિલ્ડીંગની બીયુ પરમીશન રદ કરવામા આવશે. બિલ્ડીંગનો જેટલા સમય ઉપયોગ કર્યો હશે તે પ્રમાણે હેવી પેનલ્ટી વસુલવામા આવશે.પેનલ્ટી કેટલી હશે તે તંત્ર નક્કી કરશે.પણ હેવી પેનલ્ટી લેવાનો કોર્પોરેશને નિર્ણય કર્યો છે.
આ અંગે મહાનગરપાલિકા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા કમિશનર દ્વારા આનંદનગર વિસ્તારમાં રાઉન્ડ લેવામા આવ્યો હતો. અને તે સમયે બે ઇમારતોમા પાર્કીગની જગ્યાનો અનઅધિકૃત વપરાશ થતો હોવાનુ સામે આવ્યુ હતુ. આ બાબતે એક અધિકારીને સસપેન્ડ કરવામાં આવ્યાં હતાં. તો બેને શો-કોઝ નોટીસ આપવામા આવી હતી.