News of Friday, 14th February 2020
અમૂલના ચેરમેન રામસિંહ પરમારનો રાજકારણમાંથી નિવૃત થવાનો સંકેત : સરકારથી નારાજ હોવાની ચર્ચા
અમદાવાદ : અમૂલના ચેરમેન રામસિંહ પરમાર રાજકારણમાંથી નિવૃત થવાનો સંકેત આપ્યો છે . અમૂલ ડેરીની ચૂંટણી આવી રહી છે. તે પહેલા તેઓ સંગઠન અને સરકારથી નારાજ હોવાનું મનાય છે.
તેમણે નિવેદન આપ્યુ છેકે, હવે તેઓ નિવૃત જીવન જીવે છે. અને રાજકારણમાંથી નિવૃત થવાનો વિચાર ખોટો નથી. તેમણે અમૂલએ સહકારી ક્ષેત્ર છે. તે રાજકીય હોદ્દો નથી.તેમણે કહીને રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે.
(9:26 am IST)