ગુજરાત
News of Wednesday, 13th January 2021

હિન્દુ સમ્રાટ વીર પ્રભાશંકર માસ્તરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામ શહેરના સ્વ.પ્રભાશંકર માસ્તર ની 21 મી પુણ્યતિથિ નિમિત્તે 13 જાન્યુઆરી બુધવારના રોજ ટાવર ચોક ખાતે આવેલા તેમના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સ્વ.પ્રભાશંકર માસ્તર વિરમગામ સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં હિન્દુ હિત ધરાવનાર નેતા તરીકે જાણીતા હતા.

હિન્દુ સમાજ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ તરીકે વીર પ્રભાશંકર મહેતા સ્થાન પામેલા હતા અને શહેરભરમાં માસ્તર કાકા તરીકેની પણ ઓળખ ધરાવતા હતા. તેમના પરિવાર દ્વારા આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તેમના પરિવારજનો સહિત બ્રાહ્મણ જ્ઞાતિ ના પ્રમુખ વિજયભાઈ રાવલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ રીનાબેન પંડ્યા, એડવોકેટ જીવણભાઈ કુરેશી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા

(6:38 pm IST)