ગુજરાત
News of Wednesday, 13th January 2021

દિયોદર તાલુકાના ગોદા નર્મદા કેનાલમાંથી મહિલાની કોથળામાં વીંટેલ લાશ મળી આવતા અરેરાટી મચી જવા પામી:પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

દિયોદર:તાલુકાના ગોદા નર્મદા કેનાલ માંથી એક મહિલાની લાશ મળી આવતા સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામી છે જેમાં તપાસ દરમિયાન આ મહિલા કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની હોવાનું બહાર આવ્યું છે જેમાં પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે .મહિલા છેલ્લા ઘણા સમયથી લાપતા હતી જેની જાણવા જોગપણ નોંધાઇ હતી. હવે જ્યોર મહિલાની કોથળામાં બંધેલી લાશ મળી છે ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ગોદા મેસરા નર્મદા કેનાલ માં એક કોથળામાં મહિલાની લાશ તરતી હોવાનું સ્થાનિક લોકોને દેખાતા સ્થાનિક લોકો એ દિયોદર પોલીસને જાણ કરી હતી .જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી એચ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી તપાસ શરૃ કરી હતી .જેમાં પોલીસને તપાસ દરમિયાન આ મહિલા કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામની હોવાનું અને પૂજા બેન ઠાકોર નામ હોવાનું જાણવા મળતા પોલીસે પરિવારજનોને બોલાવી ઓળખવીધી કરાવતા મહિલા થોડા સમય પહેલા ગુમ થઈ હોવાનું બહાર આવ્યું હતું .જેમાં જે અંગે શિહોરી પોલીસ મથક ખાતે ગુમસુદા ફરિયાદ પણ નોંધાઇ હતી જેમાં આ મહિલાની હત્યા કરી કેનાલમાં નાખી દેવામાં આવી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે જે અંગે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે .

(5:39 pm IST)