નડિયાદ પોલીસે પૂછપરછના બહાને યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવી ઢોરમાર મારતા યુવક ઈજાગ્રસ્ત
વડોદરા: નડિયાદ પોલીસે પૂછપરછના બહાને અનગઢ ગામના યુવકને પોલીસ સ્ટેશન બોલાવી માર માર્યો હતો.પોલીસે એટલી હદે યુવકને માર માર્યો હતો કે,યુવક બેભાન થઇ ગયો હતો.ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
નડિયાદ પોલીસ સ્ટેશનમાં સગીરાના ગૂમ થયાની નોંધાયેલી ફરિયાદની તપાસ માટે પોલીસે વડોદરા નજીકના અનગઢ ગામે રહેતા મહેશ વખતસિંહ ગોહિલ નામના યુવકને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.પોલીસે પૂછપરછના બહાને યુવકને બોલાવી ઢોર માર માર્યો હતો .યુવક પોતે નિર્દોષ હોવાનુ રટણ કરતો રહ્યો હતો.પરંતુ,પોલીસ તેની વાત માનવા તૈયાર જ નહતી.અને તેને માર મારવાનુ ચાલુ રાખ્યુ હતુ.પોલીસનો અસહ્ય માર સહન નહી થતા યુવક બેભાન થઇ ગયો હતો.
ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.સયાજી હોસ્પિટલના ડોક્ટરે નડિયાદ પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્તે લખાવેલી દવાખાના વર્ધી તપાસ માટે મોકલી આપી છે.