News of Tuesday, 14th January 2020
ઉતરાયણ પર્વે રાજ્યમાં આરોગ્ય વિભાગનું ચેકીંગ ઊંધિયું -જલેબી સહિતના કુલ 128 નમૂના લેવાયા
રાજકોટ, બરોડા, સુરત અને અમદાવાદ ખાતે ઉંધીયુ અને જલેબીના નમૂના લેવાયા
અમદાવાદ : : ઉતરાયણને ધ્યાન રાખીને હેલ્થ વિભાગે સમગ્ર રાજયમાં ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં રાજકોટ, બરોડા, સુરત અને અમદાવાદ ખાતે ઉંધીયુ અને જલેબીના નમૂના લેવાયા છે. તો સુરતમાં ચીકીના નમૂના લેવાયા છે. જેમાં અમાદવાદમાં ઉંધીયુ અને જલેબીના 25 નમૂના લેવાયા છે. તો રાજકોટમાં ગોળ પાક અને ચીક્કીના 23 નમૂના લેવાયા છે. તો વડોદરામાં જલેબી અને ઉંધીયુના 30 નમૂના લેવાયા છે તો સુરતમાં પણ ચીક્કી અને ઉંધીયાના 30 સેમ્પલ લેવાયા છે..આમ સમગ્ર રાજ્યમાં કુલ 128 નમૂના લઇને તેને લેબ પરિક્ષણ માટે મોકલવાની પ્રકિયા હાથ ધરાઇ છે.
(7:49 pm IST)