ગુજરાતનાં ૧૪ ચીફ ઓફીસરોની બદલી
રાજકોટ તા. ૧૩ :.. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગુજરાતના ૧૪ ચિફ ઓફીસરોની બદલી કરવામાં આવી છે.
જેમાં સુત્રાપાડાનાં મયુર વી. જોષીની ભાણવડ મોડાસાના પ્રણવકુમાર સી. પારેખની નડીયાદ, બરવાળાના ગૌરાંગ સી. પટેલની આણંદ, સિધ્ધપુરના જીજ્ઞેશ એલ. બારોટની મોડાસા, ઓડના જીતેન્દ્રકુમાર એલ. પટેલની સિધ્ધપુર -પાટણ, બોટાદના પાંચાભાઇ વી. માળીની પાટણ, પાટણના રઘજીભાઇ એચ., પટેલની બોટાદ, છાંયાનાં રાજુભાઇ સી. શેખની ધ્રાંગધ્રા, ધ્રાંગધ્રાનાં સુશ્રી નિલમ ડી. રોયની કઠલાલ, રાધનપુરના રૃડાભાઇ આર. રબારીની હારીજ, પ્રજ્ઞાબેન કોડીયાતર (હારીજ) ની રાધનપુર, નડીયાદનાં શામજીભાઇ કે. ગરવાલની ડભોઇ, સંતરામપુરના સંજય ટી. રામાનુજની તલોદ અને તલોદના દિપસિંહભાઇ એમ. હઠીલાની મહિસાગર-સંતરામપુરમાં બદલી કરાઇ છે.