News of Wednesday, 13th November 2019
મહાલક્ષ્મી મંદિરે અન્નકૂટ
(કેતનખત્રી) અમદાવાદ : પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલ ૩૧ વર્ષ જૂના, શ્રી મહાલક્ષ્મી મંદિરમાં કારતક સુદ પૂનમ, દેવ દિવાળીએ ૫૬ ભોગ, અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યુ હતું. છેલ્લા વર્ષોથી મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વીપીનભાઈ પી.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ દર વર્ષે અન્નકૂટનું સુંદર આયોજન કરવામાં આવે છે. જેનો હજારો દર્શનાર્થીઓ ખૂબ જ ભાવભકિતથી લાભ લે છે.
(12:58 pm IST)