ગુજરાત
News of Wednesday, 13th November 2019

હિંમતનગરના પીપલોદી પાસે અજાણ્યા વાહને એક્ટીવાને અડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલ અને તેના પતિનું કરૂણમોત

દંપતિ કારરોલના સ્વામિનારાયણ મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા

 

સાબરકાંઠાઃ હિંમતનગરના પીપલોદી પાસે અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા સવાર પતિ-પત્નીનું કરૂણમોત નીપજ્યું હતું  આ દંપતિ કારરોલના સ્વામિનારાયણ મંદિરેથી દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

 આ અંગે મળતી વિગત મુજબ હિંમતનરના સોનાસણમાં રહેતું દંપતિ મંદિરે દર્શન કર્યા બાદ ઘરે પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન તેમની એક્ટિવાને અજાણ્યા વાહને અડફેટે લેતા બંન્નેના મોત થયા હતા. મૃતક મહિલા હિંમતનગરના બી ડિવિઝનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતાં એ અને બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે 108ની મદદથી બંન્નેના મૃતદેહ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

(8:42 am IST)