ગુજરાત
News of Monday, 12th November 2018

ઊંઝા- સિદ્ધપુર રોડ વચ્ચે મુક્તપુર બસ સ્ટેશન પાસે મગફળી ભરેલો ટ્રક સળગ્યો:કારણ અકબંધ

 

ઊંઝા-સિદ્ધપુર વચ્ચે મગફળી ભરેલો ટ્રક મક્તુપુર બસ સ્ટેન્ડ પાસે સળગ્યો હતો  ટ્રકમાં આશરે 500 થી 600 જેટલી મગફળીની બોરીઓ ભરેલી હતી. આગની ઘટના બનતા થોડો સમય માટે ટ્રાફિકજામની સ્થિતી સર્જાઇ ગઇ હતી.

  ઘટનાની જાણ થતા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે અને સ્થાનિક લોકોએ સાથે મળીને આગને કાબૂ કરી હતી. જો કે હજુ સુધી આગ કેવી રીતે લાગી તેનું કારણ સામે આવી શક્યુ નથી.

(12:50 am IST)