News of Monday, 12th November 2018
ઊંઝા- સિદ્ધપુર રોડ વચ્ચે મુક્તપુર બસ સ્ટેશન પાસે મગફળી ભરેલો ટ્રક સળગ્યો:કારણ અકબંધ
ઊંઝા-સિદ્ધપુર વચ્ચે મગફળી ભરેલો ટ્રક મક્તુપુર બસ સ્ટેન્ડ પાસે સળગ્યો હતો આ ટ્રકમાં આશરે 500 થી 600 જેટલી મગફળીની બોરીઓ ભરેલી હતી. આગની ઘટના બનતા થોડો સમય માટે ટ્રાફિકજામની સ્થિતી સર્જાઇ ગઇ હતી.
ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે અને સ્થાનિક લોકોએ સાથે મળીને આગને કાબૂ કરી હતી. જો કે હજુ સુધી આ આગ કેવી રીતે લાગી તેનું કારણ સામે આવી શક્યુ નથી.
(12:50 am IST)