મહેસાણામાં એકતા મંચના કાર્યક્રમ સાથે મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘને કાંઈ લેવા દેવા નથી
કર્મચારી ના હોય તેવા કોઈ વ્યક્તિ કે સંગઠનના નામે થતા આ કાર્યક્રમને સમર્થન નહીં
મહેસાણા ખાતે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનો એકતા મંચના નેજા હેઠળ કાર્યક્રમ યોજાઈ રહ્યાં અંગે મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘે સ્પષ્ટતા કરતા કહ્યું કે કર્મચારી ના હોય તેવા કોઈ વ્યક્તિ કે સંગઠનના નામે થતા આ કાર્યક્રમમાં મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના કોઈપણ કર્મચારીઓનું સમર્થન નથી અને લેવાદેવા પણ ણથી
મધ્યાહન ભોજન યોજનાના પ્રશ્નોને ઉજાગર કરીને એકતા મંચના નામે સહાનૂભિતિ મેળવવાના પ્રયાસને અમારું સમર્થન નથી અને મહેસાણા સહીત રાજ્ય સંઘના કોઈપણ સંચાલકો આ કાર્યક્રમમાં હાજર રહેવાના નથી,કારણ કે એકતા મંચ એ મધ્યાહન ભોજન કર્મચારીઓ નહીં પરંતુ કેટલાક શખ્શો જેમના પતિ પત્ની,કે પુત્રોના નામે આ યોજનામાં બિન અધિકૃત રીતે વહીવટકર્તા હોય તેવા જ મોટેભાગે ભાગ લઇ રહ્યાં છે એટલે એકતા મંચને કોઈ સમર્થન નથી,એમ મહેસાણા જિલ્લાના મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ અને ઉત્તર ગુજરાત ઝોનના સહ પ્રભારી દશરથજી ઠાકોર અને રાજ્યસંઘના પ્રમુખ રાજેન્દ્રસિંહ બી,ચુડાસમાની યાદીમાં જણાવ્યું છે