અમરાઇવાડીની પેટાચૂંટણીની ભાજપની સભા માટે રસ્તો બંધ કરી દેવાતા વાહન વ્યવહાર ખોરવાયો :ટ્રાફિક જામની સમસ્યા
મણિનગરના રાજ ચેમ્બરથી જશોદાનગરનો એક તરફનો રસ્તો એક કલાક સુધી બંધ
અમદાવાદ : અમરાઇવાડીની પેટાચૂંટણી માટે ભાજપની સભા માટે રસ્તો બંધ કરી દેવાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો સાથે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી આસપાસના રહીશોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
મણિનગરના રાજ ચેમ્બરથી જશોદાનગરનો એક તરફનો રસ્તો એક કલાક સુધી બંધ કરી દેવાયો હતો કારણ જકે ભાજપના ભાજપના કેન્દ્રીય પ્રધાનની અમરાઇવાડીમાં પેટાચૂંટણીને લઇને સભા હતી.
ગોરના કૂવા માર્ગ પર ત્રિપદા સોસાયટીના મેઇનગેટની સામેના રસ્તા વચ્ચે જ સભાનો મંચ બાંધીને જાહેરસભાનું આયોજન કરાયુ હતું. જેથી રસ્તો બંધ થઇ જતા સ્થાનિક સોસાયટીના નાગરીકોને પારાવાર તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ આખાયે માગઁ પર ખોખરા પોલીસનો સ્ટાફ ખડકી દેવાયો હતો. જેથી સ્થાનિક સોસાયટીના રહીશોને પોતાના વાહનો ઘરથી દૂર મૂકીને ચાલીને જવા મજબૂર થવું પડયુ હતું.