News of Sunday, 13th October 2019
આખરે કેન્દ્રીયમંત્રી રૂપાલાએ સ્વીકાર્યું : કહ્યું આ વર્ષે વધુ વરસાદથી કેટલાંક જિલ્લાઓમાં પાકને નુકસાન
પોરબંદર, જૂનાગઢમાં અવિરત વરસાદને પગલે પાકને ભારે નુકસાન થયું
અમદાવાદ : કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ અગાઉ રાજ્યમાં લીલા દુષ્કાળની વાતએન નકારી કાઢી હતી પરંતુ હવે પુરષોત્તમ રૂપાલાએ કહ્યું કે આ વર્ષે વધુ વરસાદથી કેટલાંક જિલ્લાઓમાં પાકને નુકસાન થયું છે. ત્યારે આ મુદ્દે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર સાથે સંપર્કમાં છે તેમ જણાવ્યું છે.
રૂપાલાએ વધુમાં કહ્યું કે ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢમાં અવિરત વરસાદને પગલે પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે પાક નુકસાનનો સર્વે શરૂ થઈ ગયો છે તેવી માહિતી આપી. સાથે જ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પાક નુકસાન થયું છે પરંતુ આ વર્ષે રવી પાક સારો આવશે તે ચોક્કસ છે.
(11:48 pm IST)