અમિતભાઇ શાહનું નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એરપોર્ટ ઉપર સ્વાગત
મંત્રીમંડળમાં કોને લેવા અને કોને પડતા મુકવા તેની બેઠક મળશે
અમદાવાદ, તા. ૧૩ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ પહોંચી ગયા છે. અમિતભાઇ શાહનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યુ હતું.
આ તકે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે અમદાવાદ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું સ્વાગત કર્યુ હતું.
નવા મંત્રી મંડળના નાયબ મુખ્યમંત્રી હશે કે નહીં હોય તેની પરથી પરદો ઉઠી જશે. પાટીદાર સમુદાયમાંથી મુખ્યમંત્રી બનાવવામાં આવતા ડેપ્યુટી સીએમના સંભાવનાનો ઇન્કાર કરવામાં આવી રહ્યો છે. કોઇ ઓબીસીમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
ગાંધીનગર ખાતે મહત્વની બેઠક શરૂ થઇ છે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આ બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચે ચાલી રહી છે.
હવે નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મુકવા તેનો શાહની હાજરીમાં નિર્ણય લેવાશે. અમિતશાહ નવા મંત્રીમંડળના લિસ્ટ સાથે જ આવ્યા છે. બેઠકમાં ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે અને નવા મંત્રી મંડળના નામોની મહોર લાગશે.