હે રામ : હિંમતનગરના સચોદાર ગામના લોકોની દારૂના વેચાણના સમયમાં ફેરફાર કરવા ધારાસભ્યને રજૂઆત
બુટલેગરો-દારુડીયાના ત્રાસથી કંટાળી ગ્રામજનોએ દારૂનો સમય સાંજે સાત વાગ્યાનો કરવા ધારાસભ્ય અને પોલીસને કરી રજૂઆત
એક રિપોર્ટ અનુસાર હિંમતનગર તાલુકામાં આવેલા સાચોદર ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી દારૂનું વેચાણ થાય છે. આ ગામના લોકો બુટલેગરના ત્રાસથી એટલા કંટાળી ગયા છે કે, તેમને સ્થાનિક ધારાસભ્ય અને પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે કે, અમારા ગામમાં દારૂનું વેચાણ થાય છે અમને તેનો જરા પણ વધો નથી પરંતુ આ દારૂનું વેચાણ થવાના સમય ફેરફાર કરવા માટે અમારી નમ્ર અપીલ છે. આ પ્રકારની રજૂઆત કરવાનું કારણ એ છે કે, ગામમાં મોટાભાગના પરિવાર ખેડૂત અને પશુપાલક છે.
આ ગામના લોકોનું કહેવું એવું છે કે, ગામમાં દારૂનું વેચાણ પાંચ વાગ્યાથી શરૂ થાય છે અને આ સમય ગામના લોકોને પોતાના પશુઓને દોહવાનો સમય હોય છે અને તે સમયે મહિલાઓ અને દીકરીઓ દારૂડિયાઓના ત્રાસથી ઘરની બહાર નીકળી શકતી નથી . એટલા માટે ગામના લોકોએ સાથે મળીને દારૂના વેચાણનો સમય સાંજના સાત વાગ્યાનો થાય તે માટે ધારાસભ્ય અને પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે