ગુજરાત
News of Thursday, 13th September 2018

હિંમતનગરના હાજીપુર નજીક છોટાહાથીનું ટાયર ગાડી પલ્ટી ખાઈ જતા ત્રણના મોત: સાતને ઈજા

અમદાવાદથી જૂં કપડાંની ખરીદી કરી હિંમતનગર પરત આવતા વેળાએ અકસ્માત :ગંભીર ઇજાગ્રસ્તોને અમદાવાદ ખસેડાયા

હિંમતનગરઃહિંમતનગરના હાજીપુર નજીક છોટાહાથીનું ટાયર ફાયતા ગાડી પલ્ટી ખાઈ જતા ત્રણ લોકોના મોત નિપજ્યા છે બે લોકોના મોત ઘટના સ્થળે થયા હતા. જ્યારે એકનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું છે કુલ સાત લોકોને ઈજા પહોંચી હતી તેમાંથી ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. જયારે ત્રણ લોકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

 આ અંગે મળતી વિગત મુજબ આ તમામ લોકો હિંમતનગરના વાઘેલા વાસમાં રહે છે. અમદાવાદથી જૂના કપડાથી ખરીદી કરીને હિંમતનગર પરત આવતા હતા.ત્યારે હાજીપુર પાસે અચાનક છોટાહાથીનું ટાયર ફાટતા ગાડી પલ્ટી મારી ગઈ હતી ઘટનાની જાણ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

પોલીસને પણ આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે લોકોની સ્થિતિ ગંભીર લાગી તેને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. 

(9:21 am IST)