ગુજરાત
News of Wednesday, 12th September 2018

પૂર્વ આઇપીએસ સજીવ ભટ્ટને અમદાવાદ બ્રાહ્મણ સંગઠનનો ટેકો:કન્વીનર યજ્ઞેશ દવેએ ભટ્ટના પરિવારની લીધી મુલાકાત

સોશિયલ મીડિયાના ઉપયોગથી સંજીવ ભટ્ટને ન્યાય અપાવવા ચળવળ ચલાવાશે

 

અમદાવાદ :પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરાયા છે ત્યારે અમદાવાદ શહેર બ્રાહ્મણ સંગઠન દ્વારા સંજીવ ભટ્ટને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

  બ્રહ્મસમાજ સંગઠનના કન્વીનર યજ્ઞેશ દવેએ સંજીવ ભટ્ટના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે સંજીવ ભટ્ટ સાચા છે કે ખોટા તે કોર્ટ નક્કી કરશે. પરંતુ બ્રહ્મ સમાજ તેના પરિવાર સાથે છે અને હંમેશા રહેશે

  . તેમણે કહ્યું કે આગામી દિવસોમાં સોશિયલ મીડિયાના ઉપયોગથી સંજીવ ભટ્ટને ન્યાય અપાવવા ચળવળ ચલાવવામાં આવશે. તેમજ બાળકોને સ્કુલે નહિ મોકલી વિરોધ વ્યક્ત કરવામાં આવશે. ઉપરાંત બ્રાહ્મણ વેપારીઓ કાળી પટ્ટી બાંધી ન્યાય માટે ઝૂંબેશ ચલાવશે.

(11:51 pm IST)