પારણા કર્યા બાદ હાર્દિક પટેલ પહોંચ્યો ગાંધી આશ્રમ : ગાંધીજીની પ્રતિમા પર આંટી ચડાવી રેંટિયો કાત્યો
અમદાવાદ :19 દિવસના ઉપવાસ બાદ હાર્દિકે પારણા કર્યા હતા.બાદમાં હાર્દિક ગાંધી આશ્રમ સાબરમતી પહોંચ્યો હતો. હાર્દિકે ગાંધીની પ્રતિમા પર આંટી ચડાવી અને રેટીયો પણ કાત્યો હતો. હાર્દિકે ગાંધી આશ્રમની નોંધ પોથીમાં પણ પોતાની અભિવ્યક્તિ કરી હતી
હાર્દિકે આશ્રમની મુલાકાત બાદ કહ્યું કે જ્યા સુધી ગાંધીના કહ્યા માર્ગ પર ચાલુ નહીં ત્યા સુધી મને આ આશ્રમમાં પગ મુકવાનો કોઈ અધિકાર નહોતો. આજે મારા ઉપવાસ બાદ મને ગાંધી સાચી રીતે સમજાયા છે.
એવું પણ સૂચન કર્યું કે સપ્તાહમાં જેટલો પણ સમય મળે આ ગાંધી ભૂમિ પર આવવું જોઈએ. ગાંધી આશ્રમ પર આવીને બેસવાથી સત્યના વિચારો મજબૂત અને લડાઈ લડવાનો આત્મવિશ્વાસ વધે છે. તો હજુ વધુને વધુ હુ ગાંધીને સમજવાની કોશિશ કરીશ તેવું પણ હાર્દિકે ભાવ રજૂ કર્યો છે.