ગુજરાત
News of Wednesday, 12th September 2018

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી 19 મીથી અમદાવાદમાં IIM-A માં લેશે ક્લાસીસ

નવી દિલ્હી :ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને અર્થશાસ્ત્રી પ્રણવ મુખર્જી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A)માં ફેકલ્ટી મેમ્બર તરીકે 'ભારતના વ્યાપક વિકાસ માટે જાહેર નીતિ' નામના કોર્સ માટે 12 સત્ર યોજશે. પ્રણવ મુખર્જી સામાજિક-આર્થિક સંકલન માટેની બંધારણીય જોગવાઈઓ: સિદ્ધાંત અને સંસદીય પ્રેક્ટીસ, નીતિ અને સંસ્થાકીય હસ્તક્ષેપ માટે સંસ્થાકીય હસ્તક્ષેપ પર ક્લાસ લેશે.

(8:54 pm IST)