News of Wednesday, 12th September 2018
સુરતના એમ્બ્રોઇડરીના કારીગરોને રવિવારે રજા પરંતુ વેતન નહિ મળે
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
સુરત:સુરતના પુણા ખાતે એમ્બ્રોડરીના કારખાનાના કારીગરો દ્વારા તોડફોડ કરવાના મામલે આજે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.જેમાં એમ્બ્રોડરી યુનિટ, લેબર યુનિયનના સભ્યો સામેલ થયા હતા.
આ બેઠકમાં એમ્બ્રોડરીના કારખાનેદારો પોતાના કારીગરોને રવિવારની રજા આપવા તૈયાર થયા. પરંતુ રજાનું વેતન આપવું શક્ય ન હોવાનું કહ્યું હતું. તો કારીગરોએ 12-12 કલાક સુધી કામ લેવામાં આવે છે. વાર તહેવારની રજા પણ આપવામાં આવતી ન હોવાનો આરોપ લગાવ્યો.
(10:24 pm IST)