News of Wednesday, 12th September 2018
નવસારીની વિજલપોર પાલિકામાં નારાજ ભાજપી સભ્યોએ અવિશ્વાસ દરખાસ્ત મુકતા રાજકીય ગરમાવો
પ્રમુખની નિયુક્તિ અને સભ્યોના કામ થતા નહીં હોવાથી પાર્ટીમાં નારાજગી
નવસારીની વિજલપોર પાલિકામાં નારાજ ભાજપી સભ્યોએ જ અવિશ્વાસની દરખાસ્ત મુકી છે. પાલિકાના નારાજ 13 ભાજપી સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકી છે. જેથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
વિજલપોર પાલિકામાં છેલ્લા લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. પાલિકા પ્રમુખની નિયુક્તિ અને પાલિકામાં ભાજપના સભ્યોના કામ ન થતા હોવાને લઈને પક્ષમાં જ નારાજગી જોવા મળતી હતી.
(10:26 pm IST)