પાટીદારો મુદ્દે ભાજપ યુવા મોરચાના કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી ! : જમણવારમાં થાળીઓ ઉડી
અમદાવાદ :ભાજપ યુવા મોરચા દ્વારા અમદાવાદમાં યોજાયેલા દિગ્વિજય દિવસ સમારોહમાં યુવા મોરચાના કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે છુટ્ટા હાથની મારામારી થયાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત લાડુ પુરીના જમણવારમાં પણ ઓવર ક્રાઉડ થઈ જતા થાળીઓ ઉડી હતી.
ભાજપ યુવા મોરચા દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વિવેકાનંદ જયંતી નિમિત્તે ભાજપ યુવા મોરચાનો અધિવેશન યોજાયું હતું. અધિવેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશના નેતાઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
બપોરે યોજાયેલા આ અધિવેશનમાં સૌપ્રથમ ગુજરાતી આવેલા યુવા મોરચાના કાર્યકરો માટે લાડુ પુરી નું જમણ રાખવામાં આવ્યું હતું. આ જમણવાર દરમિયાન કાર્યકરોનો ધસારો થઈ જતા થાળીઓ ઉડી હતી. એટલુ જ નહીં કાર્યક્રમ શરૂ થાય તે પહેલા અમદાવાદ અને સુરતના કેટલાક કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે શરૂ થયેલી ચર્ચાએ ઉગ્રબોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થઇ હતી