News of Wednesday, 12th September 2018
એસપીજીના લાલજી પટેલનું 72 કલાકનું અલ્ટીમેટમ :આઠ મુદ્દાઓનો ઉકેલ નહિ આવે તો સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન
મહેસાણાઃ એક તરફ હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે અને હાર્દિક ત્રણ મુદ્દાઓ પર અડગ છે ત્યારે હવે સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલ પણ મેદાનમાં આવ્યા છે. તેમણે એસપીજીના ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ કરીને સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
SPG અધ્યક્ષ લાલજી પટેલે વીડિયોમાં સરકારને પાટીદાર સમાજના 8 મુદ્દાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ માટેની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું કે, જો આ 8 મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો એસપીજી દ્વારા સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે અને આ આંદોલનને કોઈ પણ રોકી શકશે નહીં.
(1:06 am IST)