ગુજરાત
News of Saturday, 13th August 2022

નર્મદા પોલીસ અને મીડિયા મિત્રોની SP કચેરીથી તિરંગા બાઈક રેલી નીકળી શહેરમાં ફરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર ભારત દેશમાં હાલ પીએમ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં નર્મદા જિલ્લામાં મોટો પ્રતિસાદ સાંપડયો છે અને દરરોજ અલગ અલગ સંસ્થાઓ,સાધુ સમાજ શાળાઓ પોલીસ વિભાગ મીડિયા સહિત અનેક એકમો દ્વારા તિરંગા રેલી કાઢવામાં આવે છે જેના ભાગરૂપે આજે રાજપીપળા SP કચેરી ખાતેથી નર્મદા પોલીસ અને મીડિયા મિત્રોની એક ભવ્ય તિરંગા બાઈક રેલી નીકળી હતી જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી રાજપીપળા ગાર્ડન ખાતે તેનું સમાપન થયું હતું.

SP કચેરી ખાતેથી નિકળેલી આ રેલીને સાસંદ મનસુખભાઇ વસાવા,એસપી પ્રશાંત સુંબે,ટાઉન પી.આઇ. જે.કે પટેલ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,નિલ રાવ,કમલેશ પટેલ સહિતનાઓએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં જિલ્લાના પોલીસ કર્મચારીઓ અને મીડિયાનાં મિત્રો મોટરસાઇકલ પર તિરંગો લગાવી નિકળ્યા હતા.

(10:31 pm IST)