વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં નજીવી બાબતે થયેલ તકરારમાં આરોપીએ શખ્સ પર લાકડાના પાઇપથી હુમલો કરતા ગુનો દાખલ
વડોદરા:દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરા વિસ્તારમાં નજીવી બાબતે તકરાર થતા આરોપીએ લાકડાના પાટિયાથી હુમલો કર્યો હતો.જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરા વિસ્તારમાં રહેતો ભગવાનદીપ શિવનાથ કહાર મજૂરી કામ કરે છે.રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે તા. ૧૧ મી એ રાતે સાડા અગિયાર વાગ્યે હું મારા ઘર નજીક દાંડિયા બજાર મેન રોડ પર ઉભો હતો.તે દરમિયાન હર્ષદ ઉર્ફે સોનુ શૈલેષ કહાર તેની પત્ની સાથે આવ્યો હતો.અને મને કહેવા લાગ્યો હતો કે,તું મને બે દિવસથી દાહોદ કહીને મને કેમ ખીજવે છે ? મેં તેને કહ્યું હતું કે,હું તારી સાથે મજાક કરતો હતો.તે મારા પર એકદમ ઉશ્કેરાઇ ગયો હતો.અને ગાળો બોલી મને માથાના પાછળના ભાગે લાકડાનું એક પાટિયું મારી દેતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું.દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઇ જતા મને વધુ મારમાંથી બચાવ્યો હતો.ત્યારબાદ મારી મમ્મી અને અન્ય સગાઓ મને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.