News of Monday, 13th August 2018
આરોપ સાબિત થાય તો જાહેરજીવન છોડી દઈશ નહિતર ધાનાણી રાજીનામુ આપે :ચીમન સાપરિયાનો ધાનાણીને પડકાર
અમદાવાદ :મગફળી કૌભાંડ મુદ્દે ચીમન સાપરિયા દ્રારા ધાનાણી પર પલટવાર કરતા જણાવાયું કે તમામ કાર્યવાહી કાયદેસર થઈ છે. આરોપ સાબિત થાય તો જાહેર જીવન છોડી દઈશ. અને જો આક્ષેપો સાબિત ન થાય તો ધાનાણી રાજીનામું આપે
અત્રે આપને જણાવી દઇએ કે પરેશ ધાનાણી દ્રારા પૂર્વ કૃષિપ્રધાન પર આક્ષેપો કરવામાં આવ્યા હતા તો આક્ષેપો પર સાપરિયા દ્રારા પલટવાર કરવામાં આવ્યો છે.
(1:01 am IST)