News of Monday, 13th July 2020
નગીનદાસજીના નિધનની ગુજરાતના સાહિત્યિક અને પત્રકારીતા જગતને મોટી ખોટ પડી
કટાર લેખકને શ્રધ્ધાંજલી અર્પતા વિજયભાઈ
અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વરિષ્ઠ કટાર લેખક સમીક્ષક અને વિશ્લેષક તથા વિવેચક પદ્મશ્રી નગીનદાસ સંઘવીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ઘાંજલિ પાઠવી છે.
મુખ્યમંત્રીએ પાઠવેલા શોક સંદેશમાં સદગત નગીનદાસ સંઘવીને એક સચોટ અને પ્રખર વિવેચક સમીક્ષક ગણાવતા કહ્યું છે કે સમાજ જીવનઅને દેશ દુનિયાની સાંપ્રત સમસ્યાઓ અને સ્થિતિનું નીરક્ષિર વિવેક સાથે નિરૂપણ કરવાની તેમની સહજ લેખની એ લાખો વાચકોના દિલમાં અમિટ છબિ ઊભી કરી છે.
તેમના નિધનથી ગુજરાતના સાહિત્યિક અને પત્રકારિતા જગતને ઙ્ગના પુરાય એવી ખોટ પડી છે એમ જણાવતાં મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થના આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી છે.
(2:57 pm IST)