News of Friday, 13th July 2018
અમદાવાદ-ઇન્દોર હાઇવે નજીક અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો
અમદાવાદ:અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર આવેલા છીપડી પાટીયા નજીક ગઈકાલે રાત્રે અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કઠલાલ તાલુકાના ખબાલ ખોડિયાર નગરમાં રહેતા મનુભાઈ શનાભાઈ ઝાલા ગઈકાલે રાત્રે મોટર સાયકલ લઈ અમદાવાદ - ઈન્દોર હાઈવે પરથી જઈ રહ્યા હતા ત્યારે છીંપડી પાટીયા નજીક પૂરઝડપે હંકારી આવેલ અજાણ્યો વાહન ચાલક મોટર સાયકલને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી બાઈક ચાલક મનુભાઈ ઝાલા (ઉંમર ૩૦ વર્ષ)નું માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે શનાભાઈ તખાભાઈ ઝાલાની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
(5:19 pm IST)