News of Friday, 13th July 2018
અઢીયા એકેડમીનો કાલથી અમદાવાદમાં શુભારંભ
લાઈફ કોચ ડો.જીતેન્દ્રભાઈ અઢીયાની : વિદ્યાર્થીઓ, નોકરીયાત, પ્રોફેશ્નલ, વેપારીઓ, ગૃહિણીઓ માટે કોર્ષ તેમજ ટ્રેનીંગની સેવા
રાજકોટ, તા. ૧૩ : લાઈફ કોચ ડો. જીતેન્દ્રભાઈ અઢીયા દ્વારા કાલે અઢીયા એકેડમીનો શુભારંભ વૈષ્ણોદેવી સર્કલ, અમદાવાદ ખાતે થઈ રહ્યો છે. આ એકેડમીમાં કાઉન્સીલીંગ, એનએલપી બેઈઝ માઈન્ડ થેરાપીની વિદ્યાર્થીઓ, નોકરીયાતો, પ્રોફેશ્નલ વેપારીઓ, એન્ટરપ્રેચોર, ગૃહિણીઓ અને કોર્પોરેટ સેકટર માટે ટ્રેનીંગની સેવાઓ ઉપલબ્ધ કરાશે. આ ઉપરાંત ધનનું વાવેતર, ગર્ભ સંસ્કાર, એનએલપી કોર્ષ, પર્સનાલીટી ડેવલોપમેન્ટ અને પબ્લિક સ્પીકીંગ, અર્ધ જાગૃત મનને જાગૃત કરવાના કોર્ષ તથા કોર્પોરેટ સેકટર માટે કર્મચારી પાસે કઈ રીતે કામ લેવું. ટીમ બિલ્ડીંગ લીડરશીપ જેવા કોર્ષ પણ કરાવાશે. શુભારંભ પ્રસંગે ડો. જીતેન્દ્રભાઈ અઢીયા, નેહા અઢીયા, પીયુષ ગજેરા અને વિનીતકુમાર ઓઝાએ ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યુ.
(4:10 pm IST)