ગુજરાત
News of Friday, 13th July 2018

પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતિ ભાનુશાલીનું રાજીનામુ :

સુરતમાં દુષ્કર્મની ફરિયાદ એક ષડ્યંત્ર :જ્યાં સુધી નિર્દોષ સાબિત નહીં થાય ત્યાં સુધી સક્રિય રાજકારણને અલવિદા

અમદાવાદ: કચ્છના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીએ  ઉપાધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું છે જયંતી ભાનુશાળી લેખિતમાં જણાવ્યું છે કે સુરતમાં તેની સામે થયેલી દુષ્કર્મની ફરિયાદ એ એમની સામેનું એક ષડયંત્ર છે. જ્યાં સુધી તેઓ નિર્દોષ સાબિત નહીં થાય ત્યાં સુધી તેઓ રાજકારણમાં સક્રિય રહી શકે નહીં.

  અત્રે ઉલ્લેખનીય છે કે જયંતી ભાનુશાળી ઉપર એક યુવતીએ દુષ્કર્મની લેખિત ફરિયાદ સુરત પોલીસ સ્ટેશનમાં કરી હતી. જયંતી ભાનુશાળીએ કહ્યું હતું કે મારા અને મારા કુટુંબ પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. મારા રાજકીય જીવનને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે.

(1:11 pm IST)