News of Friday, 13th July 2018
વણાકબોરી ડેમમાંથી પાણી છોડાતા મહીસાગરમાં જળસ્તર વધ્યું :ઢાઢર નદીની સપાટી વધતા ડભોઈના 10 ગામોને એલર્ટ
સીમડીયા-વાઘોડિયા રોડ પર પાણી ફરી વળતા રસ્તો બંધ :મામલતદારો, ટીડીઓ અને તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવા સુચના
વણાકબોરી ડેમમાંથી મહીસાગર નદીમાં 5 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી છોડાયેલાં પાણીને કારણે મહિસાગર નદીનું જળ સ્તર વધ્યું છે. ઢાઢર નદીમાં પાણીનું સ્તર વધતા ડભોઇ તાલુકાનાં 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સીમડીયા-વાઘોડિયા રોડ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો તો. વરસાદી આફતના કારણે મામલતદારો, ટીડીઓ અને તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવા સુચના આપવામાં આવી છે.
(10:44 pm IST)