News of Thursday, 13th June 2019
થરાદની નર્મદા નહેરમાં વાવની હેતલબેન રાઠોડે મોતની છલાંગ લગાવી :પાલિકાના તરવૈયાએ મૃતદેહ બહાર કાઢ્યો
થરાદના દુધશીત કેન્દ્ર પાસેથી પસાર થતી નર્મદા નહેરમાં વાવ શહેરના રાઠોડવાસની હેતલબેન દુદાભાઇ રાઠોડ નામની ૨૨ વર્ષિય મહિલાએ મોતની છલાંગ લગાવી હતી.
આ બનાવની પરિવારને જાણ થતાં નહેર પર દોડી આવ્યાં હતાં.જોકે રાતે વાવઝોડાનો માહોલ હોઇ શોધખોળ મુશ્કેલ બનતાં વહેલી સવારથી જ પાલિકાની રેસ્કયુ ટીમ દ્રારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.દરમ્યાનનગરપાલિકાના તરવૈયા સુલતાન મીરની મદદથી મહિલાના મૃતદેહને શોધખોળ બાદ બહાર કઢાયો હતો.અને પરિવારને સોંપ્યો હતો.
આ પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવતાં અરેરાટી સાથે ચકચાર મચવા પામી હતી.થરાદ પોલીસ દફતરે આ બનાવની કોઇ નોંધ નહી થવા પામી હોવાનું જણાવ્યું હતું.
(12:26 am IST)