ગુજરાત
News of Thursday, 13th June 2019

વાયુ વાવાઝોડાને કારણે વધુ 7 ટ્રેન રદ.પશ્ચિમ રેલવેની 123 ટ્રેનને અસર

સોમનાથ,ઓખા અને ભાવનગરની ટ્રેનો કેન્સલ કરાઈ

અમદાવાદ :વાયુ ચક્રવાતની અસરને લઇને પશ્ચિમ રેલવે વિભાગે અગમચેતીના ભાગરૂપે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકની ટ્રેનને રદ કરી છે. જેમાં પશ્ચિમ રેલવે વિભાગે વધુ 9 ટ્રેન રદ કરી છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 123 ટ્રેનને અસર પહોંચી છે. ત્યારે રદ કરાયેલી ટ્રેનમાં સોમનાથ, ઓખા, ભાવનગરની ટ્રેનને રદ કરાઇ છે.

રદ કરાયેલી ટ્રેન

ટ્રેન નંબર

રૂટ

૨૨૯૫૮

સોમનાથ-અમદાવાદ

૧૯૨૫૨

ઓખા-સોમનાથ

૧૯૨૫૧

સોમનાથ -ઓખા

૫૯૫૫૨

ઓખા-રાજકોટ

૫૯૨૩૦

ભાવનગર-ધ્રાંગધ્રા

૨૨૯૫૭

અમદાવાદ-વેરાવળ

૫૯૨૪૧

રાજકોટ-સોમનાથ

૫૯૫૫૧

રાજકોટ-ઓખા

૫૯૨૨૭

બોટાદ-ભાવનગર

(7:52 pm IST)