પવિત્ર અધિક માસમાં મેમનગર ગુરુકુલમાં યોજાયેલ નીલકંઠ વર્ણી વનવિચરણ કથા પ્રસંગે ઘનશ્યામ મહારાજની આગળ ૯૫૦૦ કિલો કેરીઓ ધરાવી તમામ કેરીઓ પ્રસાદરુપે ગરીબોને વહેંચવામાં આવી.
અમદાવાદ તા.૧૦ સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેચવામાં આવે છે.
અત્યારે જ્યારે કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે સત્સંગ પ્રચારારાર્થે વિેદેશમાં વિચરણ કરી રહેલ શ્રી એસજીવીપીના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજીની આગેવાની નીચે, મેમનગર ગુરુકુલમાં નીલકંઠ વર્ણી વનવિચરણની સપ્તદિન કથા નું આયોજન કરવામાં આવેલ.
કથાની પૂર્ણાહુતિની પૂર્વસંધ્યાએ ઘનશ્યામ મહારાજનુ ષોડશોપચાર પૂજન કરી મહા અભિષેક કરવામાં આવ્યો. .
અભિષેક બાદ નીલકંઠ વર્ણી સમક્ષ કચ્છ, દ્રોણેશ્વર, તાલાલા વગેરે સ્થળોથી આવેલ ૯૫૦૦ કિલો ઉપરાંત કેરીઓ ઠાકોરજીને ધરાવી આમ્રકુટોત્સવ ઉજવ્યો હતો.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતો અને સ્વયંસેવકો જાતે જઇ અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ,તેમેજ રોડ પર રહેતા ગરીબોને કેરીઓ વહેંચવામાં આવેલ.