નર્મદા જિલ્લામાં બુધવારે ૪૪ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૭૪૫ પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં બુધવારે ૪૪ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં નવાપુરા ૦૧, આશાપુરા ૦૧, સદગુરુ વિલા ૦૧, કન્યા શાળા ૦૧ તથા નાદોદ તાલુકામાં અણીજરા ૦૧, ગામકુવા ૦૧, વડીયા ૦૧, નિકોલી ૦૧, ભદામ ૦૧, કરાઠા ૦૧, પાટણા ૦૧, માંગરોલ ૦૧, નાવરા ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં ગુંનેઠા ૦૧, નવા વાઘપુરા ૦૨, ઝરીયા ૦૧, ઝુંડા ૦૧, કેવડિયા ૦૧, વરખડ ૦૧, માંકડઆંબા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં સિંધિયાપુરા ૦૧, નલગામ ૦૧, રસુલપુરા ૦૧, સાવલી ૦૧, વાઘેલી ૦૧, નમારીયા ૦૧, કારેલી ૦૧, જલોદરા ૦૧, તિલકવાડા ૦૨, ઘનશિંડા ૦૧, મારુંઢિયા ૦૧, વરવાળા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં ડેડીયાપાડા ૦૧, ગંગાપુર ૦૧, થપાવી ૦૧, અલમાવાડી ૦૧, નાની સીંગલોટી ૦૧ તથા સાગબારા તાલુકામાં ઘનશેરા ૦૧, જાવલી ૦૧, સાગબારા ૦૧, સીમઆમલી ૦૧, પાનખલા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૪ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૨૩ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૯૧ દર્દી દાખલ છે આજે ૪૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૪૧૦ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૭૪૫ પર પહોચ્યો છે.આજે વધુ ૧૫૩૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.