ગુજરાત
News of Monday, 13th May 2019

અમદાવાદમાં ટેલિવિઝન, રેડિયો, અખબાર, વેબસાઇટના પત્રકારોના ધરણા

રાજકોટ તા. ૧૩ : જૂનાગઢમાં પત્રકારો પરના હુમલાને આપણે ગુજરાતના પત્રકારો વખોડી કાઢીએ છીએ. અત્યાચારનોઙ્ગ વિરોધ કરવા અને પત્રકારોની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગણી સાથે આજે તા ૧૩ મે ૨૦૧૯ના દિવસે અમદાવાદના વસ્ત્રાપુર ગાર્ડનના ડોમ ખાતે દેખાવો, ધરણાં, ર્ંપત્રકાર પરિષર્દં અને આવેદનપત્ર તૈયાર કરવામાં આવશે. સમય સાંજે ૪.૩૦ થી ૬ સુધી. સમયસર બધાએ આવી જવું બેનર કે સ્લોગનના પ્લેકાર્ડ સાથે લાવવા. બધાજ પત્રકારોને સમયસરઙ્ગ હાજર રહેવા જણાવાયું છે.

રાજયકક્ષાની પત્રકાર સંકલન સમિતિના સભ્યોઙ્ગ ધીમંતભાઈ પુરોહિત ૯૮૭૯૮૧૦૧૦૧, હરી દેસાઈ ૯૮૯૮૫૪૩૮૮૧, દિલીપ પટેલ ૯૮૨૫૦૪૫૩૨૨, પદ્મકાંત ત્રિવેદી૯૯૭૯૮૭૬૧૨૮, ભાર્ગવ પરીખ ૯૮૨૫૦૨૧૪૧૩, ટીકેન્દ્ર રાવલ ૯૮૨૫૮૮૨૫૩૪, દર્શના જમીનદાર ૯૮૭૯૦૨૪૫૨૨, અભિજિત ભટ્ટ ૯૦૯૯૦૩૭૭૨૭, ગૌરાંગ પંડયા ૯૯૦૯૯૬૯૦૯૯, પ્રશાંત પટેલ ૯૮૯૮૪૪૫૪૬૬, જીજ્ઞેશ કાલાવડિયા ૯૮૨૫૦૨૦૦૬૪, નરેન્દ્ર જાદવ ૯૯૦૯૯૪૧૫૨૪, યુનુશ ગાઝી ૯૨૨૭૫૫૨૨૨૫, ચેતન પુરોહિત ૯૮૨૫૨૨૪૯૨૪, દિપેન પઢીયાર ૯૯૭૮૮૯૭૭૧૧નો સંપર્ક કરવા જણાવ્યું છે.

(3:20 pm IST)