અમદાવાદમાં ગાયે વૃદ્ધને શિંગડા મારી શરીર પર ચડી ગઇ
ગંભીર રીતે ઘવાયેલા ૬ર વર્ષના વૃદ્ધને હોસ્પિટલ લઇ જવાયા, પરંતુ મૃત્યુ પામ્યા
અમદાવાદ તા. ૧૩ : રખડતા ઢોરનો ત્રાસ અમદાવાદ શહેરમાં વધી રહ્યો છે. ગાયના હુમલાનો વધુ એક કિસ્સો નોંધાયો છે જેમાં વૃદ્ધને ગાયે શિંગડા મારી નીચે પટકી ઉપર ચઢી જતાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મૃત્યુ થયું હતું.
અમદાવાદમાં આવેલા વિનોબા ભાવે નગરમાં રહેતા ૬ર વર્ષના ગોપીનાથ રામપ્યારે તિવારી શુક્રવારે રાત્રે ઘરનો સામના લેવા જઇ રહ્યા હતા ત્યારે એક ગાયે તેમને હડફેટે લીધા હતા. વૃદ્ધ કંઇ સમજે તે પહેલા ગાયે તેમને ત્રણ વાર શિંગડા માર્યા હતા. ગાયના હુમલાથી ગોપીનાથ તિવારી નીચે પટકાયા ત્યારે ગાય તેમનીઉપર ચડી ગઇ હતી. જો કે ગાયના આ હુમલાના પગલે આસપાસના નાગરિકોએ ગાયને હટાવવા પ્રયાસ કર્યા હતા. ગંભી રરીતે ઘવાયેલા વૃદ્ધને એલ.જી.હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવાયા હતા પરંતુ હાજર ડોકટરોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.