ગુજરાત
News of Monday, 13th May 2019

જૂનાગઢમાં મીડિયાકર્મી પરના હુમલાના વિરોધમાં સૌરાષ્ટ્રના પત્રકારોના ધરણા

જ્યાં સુધી પગલાં નહીં લેવાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા સૌરાષ્ટ્રભરના પત્રકારો મક્કમ

રાજકોટ :જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હોબાળો મચી ગયો હતો જેમાં મીડિયા કવરેજ માટે ગયેલા મીડિયાકર્મી ઉપર પોલીસે બેહુદુ વર્તન કરીને હુમલો કર્યાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે

  જૂનાગઢમાં પત્રકારો પર થયેલ હુમલાના વિરોધમાં સૌરાષ્ટ્રભરના પત્રકારો જૂનાગઢ એસપી કચેરી બહાર ધરણા પર બેસી ગયા છે તપાસ કરવાની વાતો કરતી સરકાર તાત્કાલિક પગલાં લ્યે તેવી માંગ સાથે જ્યાં સુધી પગલાં નહીં લેવાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા પત્રકારો મક્કમ છે અને તાકીદે પગલાં લેવા માંગ કરી છે (તસ્વીર સ્પીડ રિપોર્ટ )

(11:35 pm IST)