News of Friday, 13th March 2020
સરકારની ચેમ્બરમાં કોંગ્રેસના નેતાઓ : ભાજપ કાર્યકરોને પાર્કિંગ માટે સીટી મારવી પડે છે અને છાસકેન્દ્રો ખોલવા પડે છે : જયરાજસિંહ પરમારનો ટોણો
ભાજપે પાટીદાર ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પણ કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી
અમદાવાદ : ગુજરાત રાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસના નેતા અને પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, આજે સરકારની ચેમ્બરમાં કોંગ્રેસના નેતાઓ છે. ભાજપના કાર્યકરોને સિટી મારવી પડે છે. અને પાર્કિંગની વ્યવસ્થા સાથે છાશ કેન્દ્રો ખોલવા પડે છે. ભાજપ પોતોના નેતા અને કાર્યકરો સાથે અન્યાય કરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ભાજપે પાટીદાર ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જોકે, આમ કરવાથી કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી. કોંગ્રેસના કોઈપણ પાટીદાર ધારાસભ્ય ભાજપને મત આપવાના નથી. કેમ કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક છે.
(2:12 pm IST)